Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Sana Khan: ગ્લેમર છોડ્યા પછી સના ખાને કેમ કહ્યું?, "કયામત આવી રહી છે, કબ્રની તૈયારી કરો"

સના ખાન હાલમાં પોતાના ધાર્મિક વિચારોને કારણે સતત ચર્ચામાં રહે છે. ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ તે સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઈસ્લામિક માર્ગ પર ચાલવાની સલાહ આપતી રહે છે. આ વખતે તેનો નવો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે લોકોને સંસારના મોહમાયા છોડીને પોતાની કબ્રની તૈયારી કરવા અને આખિરત માટે સાવચેત રહેવા કહી રહી છે. આ વીડિયોમાં તે કંઈક એવું કહે છે જેનાથી સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે.
sana khan  ગ્લેમર છોડ્યા પછી સના ખાને કેમ કહ્યું     કયામત આવી રહી છે  કબ્રની તૈયારી કરો

Sana Khan: ગ્લેમર્સની દુનિયા છોડી ચૂકેલી અભિનેત્રી સના ખાને મનોરંજન જગતને અલવિદા કહીને ઈસ્લામિક જીવનશૈલી અપનાવી છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી સતત ધાર્મિક વિચારો રજૂ કરતી રહે છે. હાલમાં જ સના ખાને કયામત અને કબ્રની તૈયારી વિશે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે. ચાલો જાણીએ કે આ વીડિયોમાં સના ખાને કઈ મહત્વપૂર્ણ વાતો જણાવી છે.

Sana Khan: સનાના નિવેદનથી સોશિયલ મીડિયામાં ખળભળાટ

સના ખાન મનોરંજન દુનિયાથી દૂર રહ્યા બાદ હવે ઈસ્લામિક માર્ગદર્શન આપી રહી છે. સના ખાને સોશિયલ મીડિયા પર શેર કરેલા નવા વીડિયોમાં કયામત નજીક હોવાની ચેતવણી આપી છે. આ વીડિયોમાં સના ખાને લોકોને બીજાની ટીકા કરવાનું છોડીને પોતાની આધ્યાત્મિક તૈયારી કરવા વાત કરી રહી છે. સના ખાનનું માનવું છે કે વર્તમાન સમયમાં લોકો બીજાના જીવન પર ધ્યાન આપે છે પરંતુ પોતાના અંતિમ સમયને ભૂલી ગયા છે.

Sana Khan: સનાએ કરી મોત અને કબ્રની વાત

સના ખાન વીડિયોમાં કહે છે કે વ્યક્તિના મૃત્યુ બાદ કોઈ તેને લાંબો સમય યાદ રાખતું નથી. સના ખાન સવાલ કરે છે કે જે સંતાનો જીવતા હોવા છતાં નમાઝ અદા કરતા નથી, તે મૃત્યુ પછી માતા-પિતા માટે કુરાન પઠન કઈ રીતે કરી શકશે. સના ખાનના મતે દુન્યવી ઝઘડાઓમાં વ્યસ્ત સંબંધીઓ પાસેથી મૃત્યુ પછી પ્રાર્થનાની અપેક્ષા રાખવી નિરર્થક છે. સના ખાન મુજબ નિખાલસતા અને સાફ દિલનો જમાનો હવે રહ્યો નથી.

સના ખાને જણાવ્યું કે દરેક તરફ અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. તે કહે છે કે જીવતા માણસને જ્યારે કોઈ યાદ રાખતું નથી તો મૃત્યુ પછી કોણ યાદ રાખશે. સના ખાન સલાહ આપે છે કે માણસે પોતાની આખિરત એટલે કે મૃત્યુ પછીની જિંદગી માટે આજથી જ તૈયારી શરૂ કરવી જોઈએ. સના ખાનના આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો સના ખાનના આ સંદેશને સરાહનીય ગણાવે છે જ્યારે અન્ય લોકો આ વાતો સાંભળીને ગંભીર થયા છે.

સના ખાનના જીવનમાં આવેલા પરિવર્તનો

સના ખાને વર્ષ 2020 માં ગ્લેમરની દુનિયાને કાયમી ધોરણે છોડી દીધી હતી. સના ખાન પોતાની ઈસ્લામિક જીવનપદ્ધતિ પ્રત્યે ખૂબ જ સમર્પિત છે. સના ખાને ઈસ્લામિક સ્કોલર મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કરીને નવી શરૂઆત કરી છે. સના ખાન હાલમાં બે પુત્રોની માતા છે અને તે પોતાના પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન વિતાવી રહી છે. સના ખાનના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી સતત ધાર્મિક પ્રેરણા અને સામાજિક સંદેશાઓ મળતા રહે છે.

આ પણ વાંચો-- Bollywood News : સલમાન ખાનની કઈ ખાસ સલાહ રણદીપ હુડ્ડાએ ક્યારેય ના માની? જાણો અસલી કારણ

Tags :